ઝીણાભાઈ રતનજી દેસાઈ  ’સ્નેહરશ્મિ’ (Zinabhai Ratanji Desai- 'SnehRashmi')

ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય. 

જન્મ: એપ્રિલ 16, 1903

અવસાન: જાન્યુઆરી 6, 1991


સ્નેહરશ્મિ

     

કોણ રોકે ?

        

આ પૂનમની ચમકે ચાંદની,

એને કોણ રોકે ?

કાંઈ સાયર છલક્યા જાય

કે એને કોણ ટોકે ?

આ આષાઢી વરશે મેહુલો,

એને કોણ રોકે ?

કાંઈ પૃથિવી પુલકિત થાય

કે એને કોણ ટોકે ?

આ વસંતે ખીલતાં ફૂલડાં

એને કોણ રોકે ?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,

એને કોણ ટોકે ?

આ આંબે મ્હોરતી મંજરી,

એને કોણ રોકે ?

કાંઈ કોકિલ ઘેલો થાય

કે એને કોણ ટોકે ?

આ અંગે યૌવન પાંગરે,

એને કોણ રોકે ?

કાંઈ ઉરમાં ઉર નહીં માય ! -

કે એને કોણ ટોકે ?

        

ઝીણાભાઈ રતનજી દેસાઈ  ’સ્નેહરશ્મિ’

ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય. 

જન્મ: એપ્રિલ 16, 1903

અવસાન: જાન્યુઆરી 6, 1991