જન્મ 13 - નવે મ્બર ; 1913 - રાજકોટ : વતન - જામનગર
અવસાન 23 - ઓક્ટોબર - 1970 - રાજકોટ
દુઃખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
સુખના કેવા આભાસ? – દુખની ….
લીલાં લીલાં અમારાં પાંદડાં
જોઇને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં
સપનાં કે સુરભિ સદાય? – દુખની ….
ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં ?
આ તે કેવા વિશ્વાસ? – દુખની …
એવા વિશ્વાસ સરજે માનવી
જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
જિન્દગી, ધન્ય એને ભાઇ! – દુખની ….
- સ્વપ્નસ્થ ( ભનુભાઇ વ્યાસ )