જેઠાલાલ ત્રિવેદી (Jethalal Trivedi)

કવિ પરિચય on Gujarati Sarswat Parichay

સમુદ્રને

વસંત તિલકા ?  

દીધેલ ત્હેં અમિ પિધૂં મળિ દેવલોકે,
ને દ્વાર આ અમ તણાં હજિ મૃત્યુ ઠોકે;
દીધો મનોહર મહા વળિ ચન્દ્રમા તે
આવે ન કામ અમને કદિ કૃષ્ણ-રાતે.

મોહાવતી મન ત્રિભૂવનનાં રુપાળી,
સૌંદર્યમાં કમલ- સત્વ સમી સુંવાળી
દીધેલ લક્ષ્મિ તુજ કો જન વિષ્ણુ જેવા
લેઇ જતા, અવરને મળતી ન જોવા.

ના રત્ન કો તુજ તણાં અમ રંકભોગ્ય,
તૂં ગર્વથી ઉછળતો દિસતૂં અયોગ્ય :
ત્યારે કહૂં ક્યમ ત્હને દીન -હીન વંદે?
ખારાશ જે હૃદયની ગમતી ત્હને ના,

જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.      ( ‘ઉ’ અધ્યાહાર છે -  છંદ જાળવવા )
‘મીઠું’ બની અમ જગ રસે તે ભરે છે.

- જેઠાલાલ ત્રિવેદી     :   કવિ પરિચય

           સમુદ્ર મંથનની પૌરાણિક કથાના જૂના પરિપ્રેક્ષ્યમાં ગઇ પેઢીના આ કવિએ એક સાવ નવો જ વિચાર આપણી સમક્ષ મૂક્યો છે.
            મીઠા જેવી ક્ષુલ્લક ચીજને અહીં કેન્દ્રસ્થાને મૂકી કવિએ ‘ Small is beautiful. ‘ એ વિધાનને પ્રમાણિત કર્યું છે.